મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત 2022, Mukhyamantri Matrushakti Yojana Gujarat @MMY, વડા પ્રધાન 18 જૂન, 2022ના રોજ વડોદરામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) જે તંદુરસ્ત માતા જ સ્વસ્થ બાળકને જન્મ આપી શકે અને પોષણમાં સુધારો થઈ શકે તે મુખ્ય ઉદ્દેશ્યથી લોન્ચ કરી છે. કોઈપણ રાજ્ય કે દેશના વિકાસ માટે તે રાજ્યની માનવશક્તિનો વિકાસ થવો જોઈએ તે ખૂબ જ જરૂરી છે.

વધુ યોજના વાંચો:
માનવ ગરીમા યોજના Manav Garima Yojana Gujarat 2022 @esamajkalyan.gujarat.gov.in
Manav Garima Yojana Gujarat 2022 @esamajkalyan.gujarat.gov.in
ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો અહિથી
બાળકના પર્યાપ્ત પોષણ અને વિકાસની ખાતરી કરવા. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ તબક્કા દરમિયાન માતા અને બાળકના આહારમાં ખોરાકની સાથે પ્રોટીન, ચરબી તેમજ સૂક્ષ્મ પોષકતત્વો ઉપલબ્ધ હોય. આ બાબતના મહત્વને ધ્યાનમાં લઈને સરકારે આ 1000 દિવસમાં સગર્ભા સ્ત્રીઓ અને માતાઓના પોષણ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત” અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) સક્ષિપ્તમાં માહિતી
યોજનાનું નામ | મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022 (Mukhyamantri Matrushakti Yojana Gujarat) |
યોજના શરુ કરનાર વિભાગ: | મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર. |
શરૂઆતની તારીખ | 18/06/2022 |
હેતુ | માતા અને બાળકના પોષણમાં સુધારો |
આ MMY યોજનાના લાભો | આંગણવાડી કેન્દ્રોમાંથી દરેક લાભાર્થીને દર મહિને બે કિલો ચણા, એક કિલો તુવેર દાળ અને એક લિટર સીંગદાણાનું તેલ આપવામાં આવશે. |
યોજના અમલીકરણ તારીખ: | 01/06/2022 |
લાભાર્થી રાજ્યનું નામ | ગુજરાત |
સત્તાવાર વેબસાઇટ | https://1000d.gujarat.gov.in/ |
યોજનાની ટૂંકી નોધ -મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY)
માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમાં રહેલ બાળકના વિકાસને અવરોધે છે જે આગળ જતાં બાળકના નબળા આરોગ્યમાં પરિણામે છે. સગર્ભા માતાઓમાં કુપોષણ અને પાંડુરોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૭ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity“ તરીકે ઓળખાય છે. આ બાબતના મહત્વને સમજી ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં ૧૦૦૦ દિવસ ઉપર ફોકસ કરવા જણાવેલ છે. આ તબક્કા દરમ્યાન તેમના આહારમાં અન્ન સાથે પ્રોટીન, કેટ તેમજ સુક્ષ્મ પોષકતત્ત્વો પણ ઉપલબ્ધ થાય તે ખુબ અગત્યનું છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” ને મંજુર આપેલ છે.

છ લાભાર્થી પાત્રતા વર્ષ ૨૦૨૨-૨૩માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ છે તે લાભાર્થી તરીકે યોજનાનો લાભ લઇ શકશે.
નીચેની લિંકથી સત્તાવર માહિતી: મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022
સત્તાવાર પરિપત્ર | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022 ના લાભો
મળવાપાત્ર લાભ : દરેક લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ
- સેવાઓની સાથે-સાથે રો-સશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે.
- લાભાર્થીઓને આ કીટનું વિતરણ આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાંથી લાભાર્થીને OTP અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
- આ યોજના 01/06/2022 થી લાગુ કરવામાં આવશે.

૨ કિલો ચણા:

નાણાંકીય જોગવાઈ : યોજના અંતર્ગત ચાલુ વર્ષે રૂ. ૮૧૧.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. તેમજ આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઇ કરવામાં આવનાર છે.
યોજનાના અપેક્ષિત પરિણામો
- માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો
- અપુરતા મહિને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
- IMR અને MMR માં ઘટાડો
અરજી ફોર્મ નીચે મુજબ રહેશે:

મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) નો સમયગાળો:
યોજનાનું અમલીકરણ સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષ માટે કરવામાં આવશે, ત્યારબાદ યોજનાની સક્ષમ કક્ષાએથી સમીક્ષા કરી આગળનો નિર્ણય કરવામાં આવશે.